સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત

Join Whatsapp Group Join Now

સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત  

મહત્વપૂર્ણ લિંક

વર્ષ-2022-23ની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઇટ માટે અહી ક્લિક કરો


સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત 

https://project303.blogspot.com/2022/06/Samras-chhatralay-jaherat-gujrati.html



સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત 


 ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી બ્લોક નં . ૪ , પહેલો માળ , ડૉ . જીવરાજ મહેતા ભવન , ગુજરાત રાજ્ય , ગાંધીનગર . સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત કોલેજ કક્ષાના સ્નાતક અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ , અનુસૂચિત જન જાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૨-૨૩નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ , ભુજ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર , જામનગર , આણંદ , હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા : ૩૦/૦૬/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે . • સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ -૧૨ ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી ( જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી ) ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે . ( નોંધ : વિદ્યાર્થીએ ૫૦ % કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ . ) • સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ રીન્યુ વિદ્યાર્થીઓએ પણ ફરજીયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે . ગ્રુપ -૨ અને ગ્રુપ -૩ ના રીન્યુ વિદ્યાર્થીઓ કે જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરિક્ષામાં યુનીવર્સીટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં ( SPI - Semester Performance Index ) ૫૫ % કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ . જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં ૫૫ % કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ . ગ્રુપ -૧ ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી ૫૦ % રહેશે . • વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ . ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે . ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે . 


• જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો / વિગતોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે . • સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે . • સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે . જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે . વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે . • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ - ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે . 


સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત 

સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR