એકમ કસોટી અને રચનાત્મક મૂલ્યાંકન પત્રક A ને લગતા પ્રશ્નોનું ભાવનગર જિલ્લા દ્વારા માર્ગદર્શન તમામ મિત્રોને ઉપયોગી

Join Whatsapp Group Join Now

 એકમ કસોટી અને રચનાત્મક મૂલ્યાંકન  પત્રક A ને લગતા પ્રશ્નોનું ભાવનગર જિલ્લા દ્વારા માર્ગદર્શન તમામ મિત્રોને ઉપયોગી


મહત્વપૂર્ણ લિંક


એકમ કસોટી અને રચનાત્મક મૂલ્યાંકન  બાબત ભાવનગર જિલ્લા નો લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


એકમ કસોટી અને રચનાત્મક મૂલ્યાંકન  પત્રક A ને લગતા પ્રશ્નોનું ભાવનગર જિલ્લા દ્વારા માર્ગદર્શન તમામ મિત્રોને ઉપયોગી


https://project303.blogspot.com/2021/12/ekam-kasoti-margdarshan-bhavnagar.html

https://project303.blogspot.com/2021/12/ekam-kasoti-margdarshan-bhavnagar.html

https://project303.blogspot.com/2021/12/ekam-kasoti-margdarshan-bhavnagar.html



એકમ કસોટી અને રચનાત્મક મૂલ્યાંકન  પત્રક A ને લગતા પ્રશ્નોનું ભાવનગર જિલ્લા દ્વારા માર્ગદર્શન તમામ મિત્રોને ઉપયોગી


પત્રક A માં કેવી અધ્યયન નિષ્પતિ લેવી?

 રચનાત્મક મૂલ્યાંકન માં મૌખિક પ્રશ્નો પૂછી શકાય?

 પત્રક A માં લીધેલા પેપર ના આધારો કેવી રીતે રાખવાના છે?


દરેક શિક્ષક માટે ઉપયોગી


એકમ કસોટી અને રચનાત્મક મૂલ્યાંકન  પત્રક A ને લગતા પ્રશ્નોનું ભાવનગર જિલ્લા દ્વારા માર્ગદર્શન તમામ મિત્રોને ઉપયોગી


: - સતત અને સર્વગ્રાહી મુલ્યાકંન બાબત સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે તાલીમમાં વારંવાર કેટલાંક પ્રશ્નો પુછવામાં આવતાં હોય છે તે બાબતે અહીં કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે . પ્રશ્ન : નવી અધ્યયન નિષ્પત્તિઓ જીસીઈઆરટી દ્વારા આપવામાં આવી છે તે કઇ રીતે ઉપયોગમાં લેવી ? જવાબ : નવા પાઠ્યપુસ્તક સાથે તેમની અધ્યયન નિષ્પત્તિઓ પણ જીસીઈઆરટી દ્વારા તેમની વેબસાઈટ www.gcert.gujarat.gov.in પર મુકવામાં આવી છે . યાદ રાખીએ કે આ અધ્યયન નિષ્પત્તિઓ આદર્શ રીતે આપેલાં વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે . આ અધ્યયન નિષ્પત્તિઓમાં મુખ્ય નિષ્પત્તિ અને જરૂર મુજબ તેની પેટા અધ્યયન નિષ્પત્તિઓની યાદી આપવામાં આવી છે . સાથે જ જે - તે અધ્યયન નિષ્પત્તિનાં અધ્યયન - અધ્યાપન માટેની પ્રવૃત્તિ પણ આપવામાં આવી છે . જ્યારે પણ આપણે વિદ્યાર્થીને અધ્યયન - અધ્યાપનનાં અનુભવ પુરા પાડીએ તેમાં આ પ્રવૃત્તિઓ કરાવવાની છે . * પ્રશ્ન : પત્રક - A માટે અધ્યયન નિષ્પત્તિઓ કેવી રીતે પસંદ કરવી અને ક્યારે કરવી ? * જવાબ * : પત્રક - A જેને આપણે રચનાત્મક મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ . આ * અનૌપચારિક મૂલ્યાંકન સ્વરૂપનાં માળખામાં સમાવિષ્ટ છે . જ્યારે અધ્યયન - અધ્યાપનની પ્રક્રિયા ચાલતી હોય તે દરમિયાન * અનૌપચારિક રીતે જ જે અધ્યયન નિષ્પત્તિઓ ચકાસી શકાય તેમ હોય તેવી અધ્યયન નિષ્પત્તિઓને રચનાત્મક મૂલ્યાંકન માટે પસંદ કરી શકાય . આ અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી અને મૂલ્યાંકન શિક્ષકની વિશિષ્ટ આવડત માંગી લે તેવું કામ છે . આ માટેની અધ્યયન નિષ્પત્તિઓ શિક્ષકે અગાઉથી જ સત્રારંભે નક્કી 

કરી લેવી જોઇએ જેથી જે - તે અધ્યયન નિષ્પત્તિનાં અધ્યાપન કાર્ય વખતે મૂલ્યાંકનનું આગોતરૂં આયોજન થઈ શકે અને સાતત્યતાપૂર્ણ મૂલ્યાંકન થઇ શકે . * પ્રશ્ન " : જીસીઈઆરટી દ્વારા આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિની યાદીમાં ૨૦ કરતાં વધારે અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે તો અધ્યયન નિષ્પત્તિઓ કેમ લેવી ? * જવાબ : જીસીઈઆરટી દ્વારા જે અધ્યયન નિષ્પત્તિઓની યાદી આપવામાં આવી છે તે અધ્યયન - અધ્યાપન માટેની યાદી છે . જ્યારે આપણે મહત્તમ ૨૦ અધ્યયન નિષ્પત્તિ લેવાની વાત કરીએ છીએ ત્યારે ધ્યાન રાખીએ કે આપણે * અનૌપચારિક મૂલ્યાંકન " પત્રક- A ની વાત કરીએ છીએ . અનૌપચારિક રીતે મૂલ્યાંકન થઈ શકે તેવી મહત્તમ ૨૦ પ્રતિનિધિરૂપ ક્ષમતા જ પત્રક -A માટે લેવાની છે . * પ્રશ્ન * એકમ કસોટીમાં આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિઓનાં આધારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A માં મૂલ્યાંકન નોંધ કરી શકાય ? * જવાબ * એકમ કસોટી નિશ્ચિત માળખામાં લેવામાં આવે છે . અને તે લેખિત પ્રકારની એટલે ઔપચારિક પ્રકારની કસોટી છે જ્યારે રચનાત્મક પત્રકમાં અનૌપચારિક મૂલ્યાંકનની વાત છે . એકમ કસોટી જે - તે એકમ અથવા એકમોનાં અંતે લેવામાં આવે છે જ્યારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A સતત થતાં મૂલ્યાંકનનો ભાગ છે જે અધ્યયન - અધ્યાપન પ્રક્રિયા દરમિયાન થાય છે . * પ્રશ્ન " - રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A માટે જો મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો તેનો આધાર કેવી રીતે રાખવો ? અથવા પત્રક A ના મૂલ્યાંકનનાં આધાર કેવી રીતે રાખવાં ? * જવાબ * અગાઉ એક પ્રશ્નના જવાબમાં વાત થઇ . રચનાત્મક મૂલ્યાંકનમાં એવી અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી કરવામાં આવે છે જેનું મૂલ્યાંકન અનૌપચારિક રીતે કરવામાં આવતું હોય . આ પ્રકારનાં મૂલ્યાંકન માટે શિક્ષકે આગોતરૂં આયોજન કરવું પડે તે પણ આપણે જાણ્યું . હવે વાત કરીએ આધારોની તો તમે જે - તે અધ્યયન નિષ્પત્તિ પત્રક - A માટે લીધી હોય તે માટે મૂલ્યાંકન પદ્ધતિનું આગોતરૂં આયોજન તો કર્યું જ હોય છે . આ આયોજન પણ તમારો આધાર બની શકે . દૈનિકબુકમાં પણ મૂલ્યાંકન નોંધમાં તમે તે નોંધ્યું હશે . તમે રચનાત્મક મૂલ્યાંકન માટે કોઇ અનૌપચારિક ક્રિયાત્મક કસોટી નક્કી કરી હોય તો તેમાં વિદ્યાર્થીએ કરેલાં કામને આધાર તરીકે રાખી શકાય . મૌખિક પ્રશ્નોત્તરી અથવા ક્યારેક સામુહિક અનૌપચારિક મૂલ્યાંકન વખતે આધાર ન હોય તો ચાલી શકે પણ મૂલ્યાંકન સાતત્યતાપૂર્ણ કરવામાં આવ્યું હોય તે જરૂરી છે . ઉદાહરણ તરીકે કોઇ એક અધ્યયન નિષ્પત્તિ માટે શિક્ષકશ્રી દ્વારા મૌખિક પ્રશ્નોત્તરી કરવામાં આવી હોય અને તેનાં આધારે 

રચનાત્મક પત્રક - A માં સિદ્ધિની નોંધ કરવામાં આવી હોય . હવે ફરીવાર જ્યારે અનૌપચારિક મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે અપવાદ અને સહજ અમુક વિદ્યાર્થી બાદ કરતાં બાકીનાં વિદ્યાર્થીઓ જવાબ આપી શકે તે આવશ્યક છે . 



એકમ કસોટી અને રચનાત્મક મૂલ્યાંકન  પત્રક A ને લગતા પ્રશ્નોનું ભાવનગર જિલ્લા દ્વારા માર્ગદર્શન તમામ મિત્રોને ઉપયોગી


પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મૂલ્યાંકન બાબત મહત્વપૂર્ણ ઉપયોગી માહિતી ભાવનગર જિલ્લા દ્વારા આપવામાં આવે છે.આ ઉપયોગી માહિતી ખરેખર તમામ શિક્ષકો માટે વાંચવા લાયક અને સમજવા લાયક છે માટે તમારી આસપાસ જેટલા પણ મિત્રો સાથે તમામ પ્રાથમિક શિક્ષકો છે તેવી માહિતી પહોંચાડજો અને વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તેવો પ્રયત્ન કરજો અમારી શેક્ષણિક માહિતી માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ માં જોડાઈ જવા વિનંતી કરવામાં આવે છે તમે જ જોડાયેલા હોય તો તમારા આજુબાજુના મિત્રોને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરજો આ વિશે માહિતી વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચે તેવા પ્રયત્ન કરજો 


એકમ કસોટી અને રચનાત્મક મૂલ્યાંકન  પત્રક A ને લગતા પ્રશ્નોનું ભાવનગર જિલ્લા દ્વારા માર્ગદર્શન તમામ મિત્રોને ઉપયોગી


એકમ કસોટી અને રચનાત્મક મૂલ્યાંકન પત્રક A ને લગતા પ્રશ્નોનું ભાવનગર જિલ્લા દ્વારા માર્ગદર્શન તમામ મિત્રોને ઉપયોગી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR