નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત એકવ્ય કાર્યક્રમમાં શિક્ષકોને જોડવા બાબત

Join Whatsapp Group Join Now

 નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત એકવ્ય કાર્યક્રમમાં શિક્ષકોને જોડવા બાબત


નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત એકવ્ય કાર્યક્રમમાં શિક્ષકોને જોડવા બાબત

https://project303.blogspot.com/2021/11/blog-post_26.html

https://project303.blogspot.com/2021/11/blog-post_26.html

https://project303.blogspot.com/2021/11/blog-post_26.html

https://project303.blogspot.com/2021/11/blog-post_26.html



 નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત એકવ્ય કાર્યક્રમમાં શિક્ષકોને જોડવા બાબત . સંદર્ભ : MoE , ભારત સરકારના DO.No.1-4 / 2021 - IS.8 તા.23-09-2021 સવિનય ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે આપશ્રીને જણાવવાનું કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા , મુક્ત વિચારશૈલી , વૈચારિક સમજણ અને અધ્યયન પધ્ધતિઓના વિકાસ પર ભાર મૂકે છે . આ દ્રષ્ટિકોણ તરફના પ્રયાસરૂપે , સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન ( CBSE ) દ્વારા IIT ગાંધીનગરના સહયોગથી ' એકલવ્ય ' શ્રેણી શરૂ કરવામાં આવી રહી છે . ' એકલવ્ય ' એ એક ઓનલાઈન ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક કાર્યક્રમ છે જેમાં વિવિધ પ્રવૃત્તિઓ , પ્રોજેક્ટ અને મોડેલનો સમાવેશ થાય છે . જે વિષય - વસ્તુની વૈચારિક સમજણ વિકસાવવામાં મદદ કરે છે . આ ઉપરાંત , વિચાર પ્રેરક પ્રશ્નો અને એસાઇનમેન્ટ કે જે સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરીને મુક્ત વિચારશૈલી , સર્જનાત્મકતા વિક્સાવવા અને પ્રેરણાદાયી DIY ( સ્વ - પ્રવૃત્તિ -Do It Yourself ) પ્રોજેક્ટ વિડીયો તૈયાર કરવા માટે પ્રેરણા આપે છે . આ શ્રેણી શિક્ષકો અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રકૃતિ અને ક્ષમતાઓથી સજ્જ કરવામાં મદદ કરશે . 

' એકલવ્ય ' કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ નીચેની સૂચના મુજબ ભાગ લઇ શકશેઃ 1. ' એકલવ્ય ' કાર્યક્રમ અંતર્ગત ધોરણ વાર અભ્યાસક્રમ મુજબ વિજ્ઞાન અને ગણિત વિષયની વિવિધ શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ છે . તેથી , તમામ વિદ્યાર્થીઓ આ તકનો અચૂક લાભ લેવા રજીસ્ટ્રેશન કરી શકે છે . 2. ' એકલવ્ય ' શ્રેણી અંતર્ગત શિક્ષકો હોમવર્ક સબમિટ કરીને આ કોર્ષને સફળતાપૂર્વક પૂર્ણ કરે તો તે શિક્ષક ક્ષમતા નિર્માણ માટેના તાલીમ કાર્યક્રમના 30 કલાકની સમકક્ષ ગણવામાં આવશે . 3. કોર્ષ પૂર્ણ કર્યા બાદ સ્વેચ્છાએ પ્રમાણપત્રમેળવવા ઇચ્છતા હોય તેમણે નિયત ફી ચૂકવીને પ્રમાણપત્ર મેળવી શકાશે . 4. આંતરરાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટેનો વિશ્વવ્યાપી કાર્યક્રમ PISA ( Programme for International Student Assessment ) અંતર્ગત ગુજરાત રાજય પણ ભાગ લેવા જઇ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમ PISA અંતર્ગત સારા પ્રદર્શન માટે મદદરૂપ થશે . 5. રજીસ્ટ્રેશન માટેની Url : https://eklavya.iitgandhinagar.ac.in/static/ 6. ઉપરોક્ત લીંક પર જવાથી રજીસ્ટ્રેશન ફોર્મ ખૂલશે , જેની નકલ આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે . 7. આ સાથે સામેલ રજીસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવ્યા મુજબ First Name ફિલ્ડમાં શિક્ષકના નામની જગ્યાએ શિક્ષકનો કોડ ( એટેન્ડન્સ અને ટીચર પોર્ટલ મુજબ ) તેમજ School / College ફિલ્ડમાં શાળાના નામની જગ્યાએ શાળાનો UDISE કોડ ( 11 Digit ) લખવાનો રહેશે . આથી આપના તાબા હેઠળની તમામ શાળાઓના ગણિત - વિજ્ઞાન શિક્ષકોને ઉપરોક્ત કાર્યક્રમમાં અચૂક ભાગ લે તે સુનિશ્ચિત કરવા આપની કક્ષાએથી યોગ્ય આદેશ તથા સમીક્ષા કરવા જણાવવામાં આવે છે . 







નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત એકવ્ય કાર્યક્રમમાં શિક્ષકોને જોડવા બાબત

નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત એકવ્ય કાર્યક્રમમાં શિક્ષકોને જોડવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR